દુઃખદ ઘટના : Malaika Arora ના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળેથી કૂદીને કર્યો આપઘાત

Amit Darji

Malaika Arora ના ઘરથી દુઃખદ ઘટના સામે આવી છે. મલાઈકા અરોરાના પિતાનું અવસાન નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જાણકારી અનુસાર, અભિનેત્રીના પિતા દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. આ દુઃખની સ્થિતિમાં મલાઈકાના પૂર્વ પતિ અને અભિનેતા અરબાઝ ખાન મલાઈકાના મામાના ઘરે આવી પહોંચ્યા છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, અભિનેત્રી-મોડલ મલાઈકા અરોરાના પિતા દ્વારા છત પરથી કૂદીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા નિવેદનમાં જણાવ્યું છે કે, પોલીસ ટીમનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો છે.

ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા દ્વારા બાંદ્રા સ્થિત પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આપઘાટ કરી લેવામાં આવ્યો હતો. આ ઘટના આજે બુધવાર એટલે ૯ તારીખના રોજ સવારના નવ વાગ્યાની આજુબાજુ ઘટી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ સમાચાર બાદ મલાઈકા અરોરા મુંબઈથી પુણે જવા માટે રવાના થઈ ગઈ હતી. હાલમાં અભિનેતાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે.

તેની સાથે જણાવી દઈએ કે, અરબાઝ ખાન આ મુશ્કેલ સમયમાં પૂર્વ પત્ની મલાઈકા અરોરા સાથે ઉભો રહેતો જોવા મળ્યો હતો. તેઓ તાત્કાલિક મલાઈકાના મામાના ઘરે પહોંચી આવ્યા હતા. તે મલાઈકાની માતાના ઘરની બહાર જોવા મળ્યા હતા. અભિનેતા સિવાય પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં અભિનેત્રીના પિતાએ ક્યા કારણોસર આપઘાત કર્યો તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.

Share This Article
Leave a comment