હવામાન વિભાગની આગાહી, જાણો રાજ્યમાં ક્યાં જિલ્લાઓમાં રહેશે મેઘ…

Amit Darji

રાજ્યમાં હાલ મેઘ રાજાએ વિરામ લીધો છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના લીધે વરસાદનું જોર ઘટવાનું છે. ભેજનું પ્રમાણ વધવા ના લીધે સવારે અને સાંજના બફારાનો અહેસાસ થશે.

હવામાન વિભાગ મુજબ, 16 સપ્ટેમ્બરના રોજ એટલે આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના જિલ્લાઓના વરસાદ જોવા મળવાનો છે. આ જિલ્લાઓ ના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો અથવા હળવો વરસાદ જોવા મળશે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બર ને લઈને પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યના મોટા ભાગ ના જિલ્લાઓ ના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે 18 સપ્ટેમ્બરના રોજ કચ્છના સિવાય તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના મુજબ, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેવાની છે. તેની સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. તેમાં પણ જૂનાગઢ નાં અમરેલી, ભાવનગરનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તા. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તેમજ તા. 10 ઓક્ટોમ્બરથી તા. 13 ઓક્ટોબર દરમિયાન બંગાળ નાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની પણ શક્યતા રહેલી છે. જ્યારે નવરાત્રી દરમ્યાન પણ છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

 

Share This Article
Leave a comment