હવામાન વિભાગે Megh રાજાને લઈને કરી મોટી આ આગાહી, આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ

Amit Darji

ગુજરાતમાં Megh રાજાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, થોડા દિવસોથી વરસાદે લીધેલા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળવાનો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત, નવસારી અને ડાંગ માં પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેના સિવાય નર્મદા, ભરૂચ અને તાપીમાં પણ વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, આણંદ અને નર્મદામાં પણ વરસાદી માહોલ રહેવાનો છે.

હવામાન વિભાગ મુજબ, બંગાળની ખાડીમાં સાયક્લોન સરક્યુલેશન સક્રિય બનતા ગુજરાતમાં વરસાદ જોવા મળવાનો છે. તેના લીધે ગુજરાતમાં 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. તેના લીધે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદને લઈને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આજે દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત, નવસારી અને ડાંગમાં આવતીકાલના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના તાપમાનમાં વધારો થવાનો છે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો રહેવાનો છે. ગુજરાતના બાકીના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રી સુધી રહેવાનું છે.

 

 

 

Share This Article
Leave a comment