ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર, India એ જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી

Amit Darji

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, India સરકાર દ્વારા ઈરાનમાં વધતા તણાવ અને સુરક્ષાની સ્થિતિને જોતા ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરી માં ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ અપાઈ છે. કેમ કે, ઈરાન દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે અને તેની એરસ્પેસ પણ બંધ કરી દેવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ટ્રાવેલ એડવાઈઝરી માં ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે, તેઓ ઈરાનની મુસાફરી કરી નહીં. હાલમાં ઈરાનમાં રહેનારા ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમને સ્થાનિક પરિસ્થિતિઓનું ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ પ્રકારની કટોકટી માટે તૈયાર રહે. જ્યારે ભારતીય નાગરિકો દ્વારા ઈરાનમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં બન્યા રહેવું. દૂતાવાસ નો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે તેના લીધે કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પ્રાપ્ત થઈ શકે.

તાજેતરમાં ઈરાન દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ 180 મિસાઈલો છોડવામાં આવી હતી. તેના લીધે ઈઝરાયેલનું બેન ગુરિયન એરપોર્ટ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. આવી સ્થિતિ આ ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે અને તેના લીધે ભારત સરકાર દ્વારા તેની ટ્રાવેલ એડવાઈઝરી ને સખ્ત બનાવી દીધી છે.

તેની સાથે જણાવી દઈએ કે, ઈરાનમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો દ્વારા મુસાફરી યોજનાઓની સમીક્ષા કરવી જોઈએ અને મુસાફરી લઈને જાણકારી મેળવી નિર્ણય લે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સલાહનું પાલન કરવું ફરજિયાત રહેલ છે તેના લીધે કોઈપણ સંભવિત જોખમને ટાળવામાં આવી શકે. નાગરિકો દ્વારા આ અંગે જાણકારી માહિતી મેળવવા માટે સંબંધિત અધિકારીઓ ના સંપર્કમાં બન્યા રહેવું.

Share This Article
Leave a comment