Mahmudullah એ T-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, ભારત સામે રમશે છેલ્લી મેચ

Amit Darji

બાંગ્લાદેશની ટીમ ભારત સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ માં રમાવનાર બીજી T-20 મેચની તૈયારીમાં વ્યસ્ત રહેલ છે, પરંતુ તે પહેલા જ તેને મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશના અનુભવી બેટ્સમેન Mahmudullah દ્વારા T-20 આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે. ભારત સામે ચાલી રહેલી વર્તમાન ટી-20 સીરીઝ મહમુદુલ્લાહ ની છેલ્લી ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીઝ હશે.

Mahmudullah એ ભારત સામેની બીજી ટી-20 મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે, આ સીરીઝ બાદ હું ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ લઇ રહ્યું છું. આ પહેલાથી જ નક્કી કર્યું હતું. આ ફોર્મેટ છોડવાનો યોગ્ય સમય રહેલો છે અને હવે હું વનડે પર ધ્યાન કેન્દ્રિત કરીશ.

38 વર્ષીય મહમુદુલ્લાહ બાંગ્લાદેશના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે અને તેમણે 17 વર્ષની લાંબી કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનના રમતના સૌથી નાની પ્રારૂપને છોડયા બાદ બાંગ્લાદેશને આ બીજો ઝટકો લાગ્યો છે કેમ કે, ટીમે ૩૦ દિવસની અંદર ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં પોતાના બે સ્ટાર ઓલરાઉન્ડરને ગુમાવી દીધા છે. બાંગ્લાદેશના આ ભૂતપૂર્વ ટી-20 કેપ્ટને 2021 માં પોતાની ટેસ્ટ કારકિર્દીને અલવિદા કહ્યું છે.

મહમુદુલ્લાહે 2007 માં કેન્યા સામે ડેબ્યુ કર્યું

મહમુદુલ્લાહે 2007 માં કેન્યા સામે ટી-20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તે બાંગ્લાદેશ ટીમના મહત્વના ભાગ હતા. T-20 આંતરરાષ્ટ્રીયના ઈતિહાસમાં કોઈપણ ખેલાડીની આ ત્રીજી સૌથી લાંબી કારકિર્દી છે. મહમુદુલ્લાહથી વધુ લાંબી કારકિર્દી શાકિબ અને ઝિમ્બાબ્વેના સીન વિલિયમ્સની રહી છે. 139 T-20 આંતરરાષ્ટ્રીય મેચોમા મહમુદુલ્લાહે 117.74 ના સ્ટ્રાઈક રેટથી 2395 રન બનાવ્યા છે અને 40 વિકેટ પણ લીધી છે.

Share This Article
Leave a comment