‘Gadar 2’ બાદ અનિલ શર્મા એ તેની આગામી ફિલ્મ લઈને કરી મોટી જાહેરાત…

Amit Darji

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘Gadar 2’ ની વાત કરીએ તો આ ફિલ્મ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરવામાં આવી હતી. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ માત્ર 60 કરોડ રૂપિયા રહ્યું હતું પરંતુ આ ફિલ્મે 691 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ભારે ભીડ પહોંચી આવી હતી. હવે આ દરમિયાન ‘Gadar 2’ ના ડિરેક્ટર અનિલ શર્મા દ્વારા નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલના અનિલ શર્મા દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા માહિતી શેર કરવામાં આવી છે કે, તે ‘દશેરા’ ના તક પર પોતાની નવી ફિલ્મની જાહેરાત કરવાના છે.

નિર્દેશક અનિલ શર્મા દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ‘અનિલ શર્મા તમારા માટે ના ભુલાઈ શકે તેવી કહાની લઈને આવી રહ્યા છે. તેમના દ્વારા ફિલ્મ ‘વનવાસ’ ને લઈને જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. તમને જણાવી દઈએ કે ‘ગદર 2’ પહેલા અનિલ શર્મા ‘ગદર: એક પ્રેમ કથા’, ‘ગદર’ અને ‘અપને’ પણ ડિરેક્ટ કરી ચૂક્યા છે. એક યુઝર દ્વારા લખવામાં આવ્યું છે કે, ‘સર, આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે?’ તો અન્ય યુઝરે લખ્યું છે કે, ‘આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છું.’

અનિલ શર્મા એ ‘વનવાસ’ નો આ વીડિયો શેર કરતા સમયે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પરિવાર માટે એક પારિવારિક ફિલ્મ. તમને બધાને દશેરાની હાર્દિક શુભકામનાઓ. તમને જણાવી દઈએ ,કે અનિલ શર્મા એ ગઈ કાલના એક પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, તેઓ દશેરાના દિવસે એક મોટી ફિલ્મની જાહેરાત કરવા જઈ રહ્યા છે. અનિલની આ જાહેરાતથી ચાહકો ખૂબ જ ખુશ હતા કારણ કે બધા ને લાગતું હતું કે, તે ‘ગદર 3’ ની જાહેરાત કરવાના છે. તેમ હતા હવે ચાહકોની આશા પર પાણી ફરી વળ્યું છે.

Share This Article
Leave a comment