Shraddha Kapoor ની આગામી ફિલ્મને લઈને મોટો ખુલાસો : ફિલ્મ ‘સ્ત્રી-2’ બાદ આ ફિલ્મમાં નાગીનના રોલમાં જોવા મળશે

Amit Darji

અભિનેત્રી Shraddha Kapoor આ દિવસોમાં તેમની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સ્ત્રી-2’ ના લીધે સતત ચર્ચામાં રહેલી છે. શ્રદ્ધા કપૂર હાલના સમયમાં ફિલ્મના પ્રમોશનમાં સતત વ્યસ્ત રહેલી છે ઘણી ફિલ્મો આ વર્ષે તો કેટલીક આગામી વર્ષે રીલીઝ થવાની છે. મીડિયા રિપોર્ટ મુજબ શ્રદ્ધા કપૂર આવનારી ફિલ્મોમાં સ્ત્રી 2 પછી સ્ત્રી ૩ થી લઈને ટાઈમ ટ્રાવેલ પર આધારિત ફિલ્મ સામેલ છે. એટલું જ નહીં એક ફિલ્મમાં શ્રદ્ધા કપૂર નાગિનના પાત્રમાં પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે.

શ્રદ્ધાની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સ્ત્રી 2’

શ્રદ્ધાની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સ્ત્રી 2’ ને લઈને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સિવાય રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. ‘સ્ત્રી 2’ અમર કૌશિક દ્વારા નિર્દેશિત છે અને મેડૉક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ દિનેશ વિજન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત કરવામાં આવી છે. આ એક હોરર-કોમેડી ફિલ્મ રહેલી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 2018 ની ‘સ્ત્રી’ ની સિક્વલ રહેલ છે. તે મેડોક અલૌકિક બ્રહ્માંડનો પાંચમો ભાગ છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ ‘સ્ત્રી 2’ બાદ શ્રદ્ધાની ફિલ્મ ‘સ્ત્રી 3’ પણ આવવાની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘સ્ત્રી 2’ ના પ્રમોશન દરમિયાન જ ‘સ્ત્રી ૩’ જાહેરાત કરી દેવામાં આવી છે. તેમ છતાં ‘સ્ત્રી-3’ ક્યારે આવશે તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ ‘સ્ત્રી’ અને પછી ‘સ્ત્રી 2’ ની ઉત્સુકતા ને જોતા ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મની ત્રીજી આવૃત્તિ લાવવાનું નક્કી કરી લીધું છે.

શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો તે વધુ એક ફિલ્મને લઈને ચર્ચામાં છે તે ટાઈમ ટ્રેબલ આધારિત ઠેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા ટાઈમ ટ્રાવેલ પર આધારિત ફિલ્મમાં જોવા મળવાની છે. તેમ છતાં ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી અને ન તો ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટ વિશે કોઈ જાણકારી સામે આવી છે. તેમ છતાં એક વાત સ્પષ્ટ છે કે, આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ચોક્કસ જોવા મળવાની છે.

Big reveal about Shraddha Kapoors next filmaa

મીડિયા રિપોર્ટ્સ મુજબ, શ્રદ્ધા ‘નાગિન’ નામની ફિલ્મમાં નાગિનના રોલમાં જોવા મળવાની છે. આ પાત્ર અગાઉ દિવંગત અભિનેત્રી શ્રીદેવી દ્વારા ભજવવામાં આવ્યું હતું. તેમ છતાં શ્રદ્ધા કપૂર માટે આ રોલ આસાન રહેવાનો નથી. પરંતુ, આ ભૂમિકામાં શ્રદ્ધાને જોવી ખરેખર રસપ્રદ રહેવાની છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના નિર્માતા નિખિલ દ્વિવેદી અને નિર્દેશક વિશાલ ફુરિયા રહેવાના છે. તેમ છતાં ફિલ્મના બાકીના કલાકારોની હાલમાં જાહેરાત કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ‘આદિત્યમ’ નામની ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનો જાદુ જોવા મળવાનો છે. આ ફિલ્મનું નિર્દેશન કુણાલ દેશમુખ દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મમાં શ્રદ્ધા સિવાય અદિતિ રાવ હૈદરી અને નિધિ અગ્રવાલ જોવા મળવાના છે.

Share This Article
Leave a comment