Boney Kapoor એ પોતાની આગામી ફિલ્મને લઈને કરી આપ્યું મોટું નિવેદન

Amit Darji

Boney Kapoor એ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ ‘શ્રીમાન ભારત’ છે. બોની કપૂરે તેની જાહેરાત સિને ટોકીઝ ના બીજા સત્રના પોસ્ટર લોન્ચ કાર્યક્રમ દરમિયાન કરી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, તે ઈચ્છે છે કે, દરેક વ્યક્તિ પોતાના સમાજમાં યોગદાન આપવાનો સંકલ્પ લે છે. તમને જણાવી દઈએ કે, બોની કપૂરના ડિસેમ્બર 2024 માં આયોજિત થનાર સિને ટોકીઝ નું પોસ્ટર અને થીમ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વખતે તેની થીમ ‘વુડ્સ ટુ રૂટ્સ’ રાખવામાં આવી છે.

બોની કપૂર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘શ્રીમાન ભારત’ ને લઈને વધુ જાણકારી શેર કરતી શકતા નથી. તેમ છતાં, તેમણે એ પણ જણાવ્યું છે કે, ડિસેમ્બર સુધી ફિલ્મથી જોડાયેલ કેટલીક બાબતો સામે લાવવામાં આવી શકે છે. બોની કપૂર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સિનેમા એક એવું માધ્યમ છે જે ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ ની સમજ ઉભી કરી શકે છે. તેમણે જણાવ્યું કે, તે એક પૌરાણિક ફિલ્મ પણ બનાવી રહ્યા છે.

પોતાની અન્ય ફિલ્મો વિશે વાત કરતાં બોની કપૂરે જણાવ્યું કે, તે નો એન્ટ્રી 2 અને મોમ 2 માં કામ કરવા જઈ રહ્યા છે. આ સિવાય બે તમિલ ફિલ્મો પર પણ કામ કરવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લગભગ પાંચથી છ ફિલ્મો પાઇપલાઇનમાં રહેલી છે. બોની કપૂરે વધુમાં જણાવ્યું કે, તેમને લાગે છે કે, તેમની આગામી ફિલ્મોના વિષય એવા છે કે જેમાં સમાજને સુધારવાનો અવકાશ રહેલા છે. તમને જણાવી દઈએ કે, સિને ટોકીઝ એક સાંસ્કૃતિક સમ્મેલન છે જેમાં દેશભરમાં સિનેમા સાથે જોડાયેલ ઉદ્યોગોનો જશ્ન મનાવવામાં આવે છે. તેનું આયોજન સંસ્કાર ભારતી દ્વારા કરવામાં આવ્યું છે, જેને જોડવા માટે બોની કપૂરે આભાર પણ વ્યક્ત કર્યો છે.

Share This Article
Leave a comment