કેનેડા : Bangladesh માં હિંદુઓ સામે હિંસાના વિરોધમાં ટોરોન્ટોમાં પ્રદર્શન, પીડિતો માટે ન્યાયની માંગ

Amit Darji

પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ Bangladesh માં હિંદુઓ સામે થઈ રહેલી હિંસા વિરુદ્ધ રવિવારના કેનેડાના ટોરોન્ટોમાં એક પ્રદર્શન થયું હતું. હિંસાનો વિરોધ એકતા દેખાડવા માટે હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ અને યહૂદી સમુદાયના હજારો લોકો એકઠા થયા હતા.

ટોરોન્ટોના ડાઉનટાઉનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં લોકો ‘અમે ન્યાય ઈચ્છીએ છીએ’ ના નારા લગાવતા જોવા મળ્યા હતા. વિરોધીઓએ કેનેડા સરકારથી હિંદુઓની રક્ષા માટે બાંગ્લાદેશ સરકાર પર દબાવ બનાવનો આગ્રહ કર્યો હતો. વિરોધ કરનારાઓમાં એક શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે ટોરોન્ટોમાં બાંગ્લાદેશી મસ્જિદોના ઈ-મેલ પણ મોકલ્યા હતા. પરંતુ અત્યાર સુધી જવાબ આપવામાં આવ્યો નથી.

તેમણે જણાવ્યું હતું એક, “અમે ટોરોન્ટોમાં બાંગ્લાદેશી મસ્જિદોને ઈ-મેલ મોકલ્યા છે,”. અત્યાર સુધી, અમે તેમના તરફથી કોઈ જવાબ સાંભળ્યો નથી. અમે તેની રાહ જોઈશું. કદાચ તેઓ સપ્તાહના કારણે વ્યસ્ત રહેલા છે. તેમણે જણાવ્યું કે, બાંગ્લાદેશમાં જે પણ થઈ રહ્યું છે, તે તેના ભાઈઓની સાથે ઉભા છે.

વિરોધકર્તાએ વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ સમુદાયોના લોકો અભૂતપૂર્વ સંખ્યામાં એકઠા થયા છે જે એક સારો સંકેત રહેલ છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ પણ એકતામાં ઉભા રહ્યા હોત તો અમને સારું લાગ્યું હોત. વિવિધ સમુદાયોના લોકો અહીં અભૂતપૂર્વ સંખ્યામાં છે, જે એક સારો સંકેત રહેલ છે. નિરાશાજનક વાત એ છે કે, તેમની કેનેડાની રાજનીતિમાં પણ ભાગીદારી રહેલી છે. પરંતુ ઈ-મેઈલ, ટ્વીટ અને કોલ પછી પણ તેઓ અમારી વાત સાંભળી રહ્યા નથી.

વિવિધ સમુદાયોના નેતાઓ દ્વારા પણ હિંદુઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ગુરુવારના એક સંદેશમાં Bangladesh માં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા અને સુરક્ષા માટે હાકલ કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રોફેસર મોહમ્મદ યુનુસ દ્વારા નવો કાર્યભાર સંભાળવા પર મારી શુભેચ્છાઓ. હિંદુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરીને અમે ટૂંક જ સમયમાં સામાન્ય સ્થિતિમાં પરત ફરવાની આશા રાખીએ છીએ. ભારત બાંગ્લાદેશ સાથે શાંતિ, સુરક્ષા, વિકાસ અને બંને દેશોના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ રહેલ છીએ.

હિંસાથી બચવા હજારો બાંગ્લાદેશી હિંદુઓ પાડોશી દેશ ભારતમાંથી ભાગી રહ્યા છે. બાંગ્લાદેશની 170 મિલિયનની વસ્તીમાં હિંદુઓ લગભગ આઠ ટકા રહેલા છે અને પરંપરાગત રીતે હસીનાની અવામી લીગ પાર્ટીનું સમર્થન કર્યું છે. અનામત વિરોધી પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ બાદ હસીનાની સરકાર દ્વારા ગયા મહિને રાજીનામું આપી દેવામાં આવ્યું હતું.

Share This Article
Leave a comment