હવામાન વિભાગની મોટી આગાહી, આ જિલ્લાઓમાં રહેશે વરસાદ

Amit Darji

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. એવામાં હવે નવરાત્રીમાં સાતમાં નોરતાથી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ૧૦ જેટલા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાનો છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં તો ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ વરસાદની શક્યતા રહેલી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે.

તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સક્રિય થતા ગુજરાત તરફ ભેજ આવશે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ સિવાય હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 13 થી 18 ઓક્ટોબર 2024 દરમિયાન રાજ્યમા વરસાદ રહેવાનો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વરસાદની તીવ્રતા દરિયા કિનારા વિસ્તારમા વધુ જોવા મળવાની છે. તેમાં પણ 1 થી 2 ઈંચ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે. તેની સાથે જ વાવાઝોડાને લઈને જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં 12 ઓક્ટોબર સુધીમાં હલચલ જોવા મળવાની છે અને 14 થી 19-20 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું આવવાની શક્યતા રહેલી છે. આ વાવાઝોડું ગંભીર વાવાઝોડું પણ હોઈ શકે છે.

તેની સાથે વાવાઝોડાની દિશાને લઈને જણાવ્યું કે, તે કઈ તરફ જશે એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ જેટ ધારાના લીધે આ સિસ્ટમ ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના વિસ્તારોમાં થઈ પાકિસ્તાન તરફ જાય તેવી શક્યતા રહેલી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવાની શક્યતા રહેલી છે.

તમને જણાવી દઈએ કે, બંગાળની ખાડી અને અરબ સાગરમાં અસરના લીધે 16 થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં ફેરફાર જોવા મળશે. આ દરમિયાન પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેવાની છે. તેમાં પણ અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. જ્યારે નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થવાનું છે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળવાની છે.

તેમ છતાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 13 ઓક્ટોબર સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા રહેલી છે.

Share This Article
Leave a comment